પડઘાતી એક શબ્દની અણબૂઝ વાત છું,
ભણકાર કહી રહ્યા છે હજી હું હયાત છું.
અંજાઓ આજ આપ ભલે સૂર્ય ચન્દ્રથી,
જેને ગ્રહણ નથી એ સિતારાની જાત છું.
ખસતો નથી હું લેશ કદી મારા સ્થાનથી,
દુનિયા ભલે ટકોર કરે કે પછાત છું.
નૌકાઓનાં નસીબ કે હમણાં છું ગેલમાં,
છંછેડશે કોઈ તો પછી ઝંઝાવાત છું.
બે ર6ગ થાઉં એવું નથી પોત ઓ સમય,
નીરખી લે ગર્વથી કે પટોળાંની ભાત છું.
ઈશ્વર નથી કે શબ્દથી જકડી શકે મને,
નિર્મોહી ‘શૂન્ય’ છું તે પણ અજાત છું.
– શૂન્ય પાલનપુરી