કમી વર્તાઈ જો છોડી ગયા પછી મહેફિલ
લાગે જિંદગીનો જામ બરાબર પિવાયો હશે.
અજમાવ્યો હશે કદી સિતાર પર હાથ
લાગે જિંદગીના સંગીતે બરાબર ગવાયો હશે.
ઓળખે છે જે મળે તે કેવા !
લાગે જિંદગીના ડાયરે રોજ હોંકારો છવાયો હશે.
ટૂંકું જીવતર ને આટલી લાંબી દોર
લાગે જિંદગીના આકાશે પતંગ બની છવાયો હશે.
દુકાળ દેખાય એક લીલોછમ અવસર
લાગે જિંદગીના ચોમાસે વાદળ બની વરસ્યો હશે.
સમુદ્ર મંથન વચ્ચે આજે પણ સ્થિર
લાગે જિંદગીના વિષે નીલકંઠ બની ટક્યો હશે.
સુખ દુઃખ…ધૂપ છાવ…વિરોધાભાષ વચ્ચે એક ભાવ બસ જીવી જવાનો,
લાગે જિંદગીની વસ્તુને “નીલ” સમજવા આ માણસ લખાયો હશે.
✍? નિલેશ બગથરીયા “નીલ”