મટકુંયે માર્યું નહી ને ,
આખી રાત યાદોમાં જાગતિ રહી ,
અંધારી રાતમાં –
સુમસામ વગડામાં –
ઉઘાડા પગે ને આંસુની ધારે ,
ફરીથી એ દિવસો યાદ આવ્યા ને —
એ જ સ્ટેશન – એ જ બાંકડો –
એ જ ઘોડાગાડી વાળો ,
જ્યાં પગલાં પાડ્યા’તા ” પ્રેમના ”
પ્રેમના એ પગથારે ,
નેણલા નચાવી ને હાલ્યા’તાં સાથે ,
અચાનક જ …….
કોઈએ જ્ગાડિને પુછ્યું કે —
તું આટલી વ્હાલી કેમ છો …?
ત્યારે બોલાઈ ગયું કે —
હું અંદર થી ખાલી છું
એટલે હું વ્હાલી છું .
– હર્ષિદા દીપક