અવતાર…
માનવીના મન સુધી જે પ્હોંચવા ફાવ્યાં હશે..
અવતરણ કરતા જ તેઓ એકલા ચાલ્યાં હશે..!!
કર્મના બંધન હશે, એ જાણવાની જરુર ક્યાં..!!
જે હશે તે ચોપડે ચિત્રગુપ્તજી લાવ્યાં હશે…!!
એક યુગ આખો જે પલટાવી ગયા એ ઋષિઓ..
જોશ સાથે એમના અરમાન દફનાવ્યા હશે..!!
વિધિ લખેલા લેખમાં પણ મેખ મારી ચાલતાં..
સાવ સામાન્ય બની માનવને બદલાવ્યાં હશે..!!
ભોમ છે ભારત તણી માથે ચડાવી રેતને..
આ “જગત”માં આમ અવતાર થઇ પૂજાયા હશે..!!”.
જે એન પટેલ