માવતરની આ શીળી છાંયા
સમજે આ માડીના જાયા.
વેઠીને દુઃખો અઢળક એણે
બનાવ્યા સંતાનને સવાયા.
અતૃપ્તિનો ઓડકાર ખમીને
વ્યાંને ભરપેટ હમેંશા રખાયા.
કાપકૂપ ખુદના ખર્ચે કરી એણે
છોરાઓને સાહેબ જ બનાવ્યા.
કાશ! શોધે કારણ હવે સંતાનો
માવતર સેવાએ કેમ થોથરાયા?
– નિલેશ બગથરિયા “નીલ”