લઇ કદી સરનામું મંદિરનું
હવે મારે ભટકવું નથી.!
જાણીલો, પ્રસાદ સિવાય
ત્યાં કઈ જ મળતું નથી.!
અમસ્તી થાય છે ભીડ પ્રભુ,
તારા નામથી આ કતારમાં ..
થાય કસોટી તારી,
એ પગથીયું કદી ચઢવું નથી.!
હશે મન સાફ તો ..
અંતરમાં બિરાજે છે તું આપોઆપ.!
દીધું છે… ને દેશે જ,
ભલામણ જેવું કંઈજ કરવું નથી.!
હજી માણસ જ સમજ્યો છે ક્યાં,
માણસની ભાષા.!?
તારામાં લીન થાઉં,
એથી વિશેષ માણસ બનવું નથી.!!
~ ભાર્ગવ જોષી