ખુદને ખુદથી એમ અલગ કર;
સ્હેજ અમસ્તું રહે ન અંતર.
જોજન ઈચ્છાઓને તેડી,
બોલો કયારે પ્હોચાયું ઘર !
તારો ઈશ્વર તારા જેવો,
મારા જેવો મારો ઈશ્વર.
આંખો સામે તું આવે છે,
મને પુકારું મારી અંદર.
સાત જનમનો શોક મૂકીને,
ઊજવી લે તું ક્ષણના અવસર.
– હરદ્વાર ગોસ્વામી