ગગનવાસી ધરા પર
બે ઘડી શ્વાસો ભરી તો જો.
જીવનદાતા, જીવનકેરો
અનુભવ તું કરી તો જો.
સદાયે શેષશૈયા પર
શયન કરનાર ઓ, ભગવન !
ફકત એક વાર કાંટાની
પથારી પાથરી તો જો.
જીવન જેવું જીવન,
તુજ હાથમાં સુપરત કરી દેશું
અમારી જેમ અમને
એક પળ તું કરગરી તો જો.
નથી આ વાત સાગરની,
આ ભવસાગરની વાતો છે;
અવરને તારનારા!
તું સ્વયં એને તરી તો જો!
નિછાવર થઇ જઇશ,
એ વાત કરવી સહેલ છે ‘નાઝીર’
વફાના શ્વાસ ભરનારા,
મરણ પહેલાં મરી તો જો.
રચના : નાઝિર દૈખયા