ચાલ માન્યું એકલો પથ્થર નથી
તોય તું કંઈ એટલો સધ્ધર નથી
લોક લૂંટી જાય છે મંદિર પણ-
અર્થ એનો એ જ તું અંદર નથી
અર્થ એનો એ જ તું અંદર નથી
આભમાં પણ આદમી ફરક્યો જ છે
સાંભળ્યું છે ત્યાંય તારું ઘર નથી.
સાંભળ્યું છે ત્યાંય તારું ઘર નથી.
તોય શાને ઉઠતા વિખવાદ જ્યાં
તું જ એકે પક્ષમાં હાજર નથી.
તું જ એકે પક્ષમાં હાજર નથી.
એ જ કારણથી તો હું ‘નારાજ’ છું,
કેમ તારા કંઈ ખબર અંતર નથી.
કેમ તારા કંઈ ખબર અંતર નથી.
ચંદ્રેશ મકવાણા ‘નારાજ’
Continue Reading