અગ્નિપથ ઉપર સિકંદર થઈ ચાલવાનું છે,
નિષ્ફળતામાં મસ્ત કલંદર થઈ ચાલવાનું છે.
પરિણામની વ્યર્થ ચિંતા કરી નિરાશ શું થવાનું ?
સફળતા માટે તો મુકદર થઈ ચાલવાનું છે.
લાખ અવરોધ ભલેને આવે પણ હિંમત ના છોડીશ,
લક્ષ્ય પામવા તારે સદંતર થઈ ચાલવાનું છે.
વિશ્વાસ રાખ તું ખુદ પર – તારે જ ચાલવાનું છે,
મંઝિલ સુધી ચાલવા માટે તરબતર થઈ ચાલવાનું છે,
પ્રયત્ન કર્યા વગર તો ક્યાં સિદ્ધિ મળતી હોય છે ?
સ્વપ્ન સાકાર કરવા સમંદર થઈ ચાલવાનું છે.
-દિનેશ નાયક “અક્ષર”