દધીચી થકી જ વ્રજ થાય છે
જે કરે છે તેની જ ફરજ થાય છે
આદરનો મતલબ ગરજ થાય છે
પ્રાણ આપશો તો જ થશે સેવા
દધીચી થકી જ વ્રજ થાય છે
ધર્મ સગવડિયો ને ચશ્મા સ્વાર્થનાં
રજનું કળિયુગે સદા ગજ થાય છે
સ્વધર્મ પણ ન જાણતાં મૂઢમતિ
અન્યોનાં જીવનનાં જજ થાય છે
વા છૂટ માટે પણ અન્યાશ્રિત એવાં
તોપખાને જવા સજ્જ થાય છે
-મિત્તલ ખેતાણી